ભ્રષ્ટાચાર અને આપણે — ઝૈનુલશફી વેબ સરિતા વેબ સરિતા: ભ્રષ્ટાચાર અને આપણે — ઝૈનુલશફી
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday 24 June 2014

ભ્રષ્ટાચાર અને આપણે — ઝૈનુલશફી

નાનપણમાં શાળામાં ભ્રષ્ટાચારની જોડણી શિખી હતી, ભ્રષ્ટ+આચાર, તેનો મતલબ પણ શિખ્યો, શાળાજીવન દરમિયાન ઘણીવાર સ્પર્ધાઓમાં ભ્રષ્ટાચાર વિષય પર ભાષણો આપ્યા, પરંતુ ત્યારે આ વાતનો જ્યારે અહેસાસ ન હતો કે ભારત દેશમાં તે ઘણો આટલો બધો પગપેસારો કરી ચૂકિયો છે, તે વખતે ખ્યાલ પણ ન હતો કે આ સમસ્યા તો આપણા દેશને ઊધઈની જેમ ખાય છે. સ્પર્ધાઓમાં પણ ભ્રષ્ટાચાર  વિષે બોલેલાં વાક્યો કોઈ ને કોઈ ચોપડીમાંથી ચોરેલા હતા, ક્યાંક ને ક્યાંક એ પણ એક ભ્રષ્ટાચાર જ હતો, મારા વિચારો ન હતા, બસ એટલુ જ ધ્યેય હોય કે સ્પર્ધામાં પોતે નંબર વન આવી જાય, ચાલો ખેર, મારા મત મુજબ ભ્રષ્ટાચાર એક એવો પાઠ છે કે વ્યક્તિ શાળાજીવન દરમિયાન ના શીખે તો પણ આપણી વ્યવસ્થા તે શીખવી દે છે.
 આજના ભારત દેશમાં ભ્રષ્ટાચાર તો જાણે સામાજીક વ્યવસ્થાનો એક અંગ થઈ ગયો છે. દરેક વ્યકિત તેનો ડગલે ડગલે અનુભવ કરે જ છે, આપણી માનસિકતા એવી થઈ ગઈ છે કે “સીધા રસ્તે તો કોઈ કામ થાય જ નહીં અને જો થઈ જાય તો જાણે કોઈ ચમત્કાર થઈ ગયો હોય” કેટલાક શબ્દો છે જે સામાન્ય છે આ ભ્રષ્ટાચારને સ્વીકારવા માટે, જેમ કે “ચાલે છે”, “આવું તો કરવું જ પડે”, જે દર્શાવે છે કે લોકો ભ્રષ્ટાચારને સ્વીકારે છે,
દેશના નેતાઓએ કરેલા ભ્રષ્ટાચારો તો જગજાહેર થયા જ છે, જોવા જેવું છે કે આમ જનતા સાથે તેનું સીધી રીતે કોઈ લેવા દેવા નથી, આમ જનતા નેતાઓના ભ્રષ્ટાચારો પર માત્ર નિસાસા નાખી શકે, થોડા દિવસ પછી જેવું હતું તેવું.  નેતાઓના ભ્રષ્ટાચારો દેશને આર્થિક નુકશાન પહોચાડે છે તે ખરું, દેશના કરોડો રૂપિયાનો નુકશાન થાય છે, પરિણામે સરકાર તે જ નુકશાનને ભરવા જનતા પર કરવેરા નાખે, વસ્તુઓના ભાવ વધારે, સરકારી સેવાઓ મોંઘી કરે,  અને દુહાઈ આપે વૈશ્વિક મંદીની…..
ખામી માત્ર વ્યવસ્થામાં નથી, સામાન્ય નાગરિકની પણ છે, આપણે જ બે મુખી વાતો કરીએ છીએ, એક બાજુ તો ભ્રષ્ટાચારનો વિરોધ કરી તેના વિષે સારો એવો ગુસ્સો વ્યક્ત કરીએ છીએ, ટીવી પર કે છાપામાં સમાચારો જોઈ નિસાસો નાખતા હોઈએ છીએ કે શું થશે આ દેશનું? એક બાજુ અન્ના હઝારે અને અરવિંદ કેજરીવાલ જેવા ભ્રષ્ટાચારથી લડતાં લોકોની વાહ વાહ કરીએ છીએ, અને બીજી બાજુ આપણે જ પોતાના કામનો નિકાલ કરવા લાંચ આપીએ છીએ કે ભ્રષ્ટાચાર આચરીએ છીએ, પાછા ખુશ પણ થઈએ છીએ કે જોયું કેવી રીતે કામ કરાવી લીધું? જાણે કોઈ મોટું તીર માર્યું હોય, અને એમાં ઓછું હોય કોઈ વ્યક્તિ સીધી રીતે વગર ભ્રષ્ટાચારની મદદ લઈ પોતાનું કામ કરાવતો હોય કે કરાવવાના પ્રયત્નો કરતો હોય તો તેની ખીલ્લી ઉડાડીએ છીએ, પેલો સીધે રસ્તે ચાલનાર પણ એકવાર વિચારે છે કે ક્યાંક તે કોઈ ગુનોહ તો નથી કરી રહીયો? અને પાછી તેને ડાહપણવાળી સલાહ પણ આપીને જ છોડીએ છીએ કે ભાઈ આવી રીતે તમારું કામ નહીં થાય, “શોર્ટકટ” વાપરો, આ શોર્ટકટ એટલે એજ ભ્રષ્ટાચારનો માર્ગ.
મારા મત પ્રમાણે ભ્રષ્ટાચાર માટે જવાબદાર કારણોમાં એક કારણ આપણ છે કે આપને ત્યાં કાર્યાલય ની વ્યવસ્થા ઘણી જ ગુંચવણભરી  હોય છે, મારા આ અભિપ્રાય સાથે ઘણા લોકો સંમત નાં પણ હોય પણ આપને એક વાત નો ખ્યાલ રાખવો  જોઈએ કે આપની પ્રજા પ્રમાણમાં થોડી ઓછી ભણેલી અને ઓછી સમજદાર છે, સરકારી કાર્યાલયો માં કર્મચારી જાણે મશીન જેવા હોય છે-લાગણીહીન, અરજદારના કપડા, બોલી જોઈ તેની સાથે સારું-ખરાબ વર્તન કરવામાં આવે છે, પરિણામે લોકો સીધા કાર્યાલય થી સંપર્ક કરવાનું ટાણે છે અને એવો માર્ગ અથવા એવા લોકોનો સાથ અપનાવે છે જે ભ્રષ્ટાચાર કરે છે, માત્ર એવું નથી ભણેલ લોકો અને સમજદાર લોકો પોતાના સમયની કિંમત દુહાઈ આપી અવળા માર્ગ અપનાવે છે, એક વાતનો ખાસ ખ્યાલ રહે કે કાર્ય પાર પાડવા કોઈની સહાય લેવી એટલે ભ્રષ્ટાચાર નહિ, પરંતુ એ સહાય કઈ રીત અને પદ્ધતિથી આગળ વધે છે તે જોવું રહયું,
કાર્યાલયોમાં ભ્રષ્ટાચારની સાંકળ નીચેથી ઉપર સુધી હોય છે, પરિણામે કોઈ પકડાતું નથી, બધાજ એક બીજાનાં સાથીદાર, એમાં કોઈક વાર કોઈક છાપા કે સમાચાર ચેનલ માં કોઈ ભ્રષ્ટાચારના કૌભાંડની ખબર જોવા મળે તો મન જાણે  પ્રફુલ્લિત થઈ ઉઠે કે પોતાના પર વીતેલા અત્યાચારો નો બદલો લીધો હોય કોઈએ.
હવે હૂં ભ્રષ્ટાચારથી લડવાના ઉપાયો અને રસ્તાઓ વિષે નિબંધ તો નથી જ લખવાનો. ઘણા મોટા મોટા ગજાનાં મહાનુભાવોએ આ કામ કરી લીધું છે, ઘણા લોકોએ ગ્રંથો લખી નાય્ખા છે એના વિષે તો, જેમ જેમ સમય બદલાય છે ભ્રષ્ટાચાર આચરવાના તરીકાઓ કે રસ્તાઓમાં પણ પરિવર્તન આવે છે, આખિર ભ્રષ્ટાચારના માસ્ટર કઈ જેવા-તેવા તો નથી, તો પછી આ ભ્રષ્ટાચાર અટકે કઈ રીતે? લાખ રૂપિયાનો સવાલ તો આ જ, આપને એક હકિકત તો સ્વીકારવાની જ રહી અને આપના વર્તમાન વડાપ્રધાનનું આ મનપસંદ વાક્ય છે,  “કોઈ એવી જાદુની છડી નથી કે રાતો રાતો બધું બદલાઈ જાય”  વાત તો સાચી છે, પરંતુ, હાથ પર હાથ રાખી બેસી રહેવાય ? જાદુની છડી તો ભવિષ્યમાં પણ નહિ હોય, તો આપને પોતાને જ આત્મમંથન કરવું પડશે, આપણે જ શરૂઆત કરવી પડશે, જે લડે છે તેને સપોર્ટ પણ આપવાનો રહેશે, તે પછી કોઈપણ હોય, ગલીની બાહર ઉભેલો લારીવાળો કે પછી દિલ્લીમાં અનશન પર બેઠેલા કોઈ ભાઈ, સાચી સલાહ તો એ છે કે પોતે ભ્રષ્ટાચાર ને નાં કહો અને લડો ત્યાં સુધી જ્યાં સુધી અધિકારીઓ સીધા નથી થતા. એમને પણ આ અહેસાસ કરવો જ પડશે કે તેઓ જે પદ પર બેઠા છે તે જનતાની સેવા માટે છે.જ્યાં સુધી આપને પોતે આ દુષણ સામે નહિ લડીએ ત્યાં સુધી આ ભ્રષ્ટાચાર દેશમાંથી જવાનો નથી, અને આ કઈ નાખી દેવાની વાત નથી. મહત્વનું એ છે કે આપને આપની ભાવી પેઢીને શું આપીશું? કોશિશ કરીને જુઓ ક્યારેક ભ્રષ્ટાચાર વગર પોતાનું કામ કરાવવાનું, મઝા તો આવશે જ સિસ્ટમથી લડવામા, હોઈ શકે કે તમને કોઈ તમારા જેવા જ લડનાર મળી જાય, “કરકે દેખો અચ્છા લગતા હૈ”
— ઝૈનુલશફી
Like the Post? Share with your Friends:-

0 comments:

POST A COMMENT

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.