વેબ સરિતા: 06/26/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Thursday 26 June 2014

શિક્ષણ આત્મશુદ્ધિનો માર્ગ છે, ભૌતિક લાભ માટે તુલના ન કરો ...

મહાન ગણિતશાસ્ત્રી યુક્લિડના જીવનનો એક પ્રસંગ છે. યુક્લિડ જાણીતા ગણિતશાસ્ત્રી હતા. બીજાને પણ પોતાનું આ જ્ઞાન સહર્ષ વહેંચવા માટે તેઓ તૈયાર રહેતા હતા. યુક્લિડની પાસે જે ગણિત શીખવા આવતું, તેને તેઓ અત્યંત ધગશથી ભણાવતા અને તેની ગણિત સંબંધી તમામ જિજ્ઞાસાઓ સંતોષતા હતા. યુક્લિડના ગણિતના જ્ઞાન અને સહૃદયતાથી પ્રભાવિત થઈને દૂર દૂરથી વિદ્યાર્થીઓ તેમની પાસે ગણિત શીખવા માટે આવતા અને યુક્લિડ પણ તેમને નિરાશ નહોતા કરતા.

એક દિવસ યુક્લિડ પાસે એક યુવક આવ્યો અને તેણે તેમને જયોમેટ્રિ શીખવવાનું કહ્યું. યુક્લિડે તે સ્વીકારી લીધું. યુવક કુશાગ્ર બુદ્ધિ ધરાવતો હતો. તેણે યુક્લિડના જ્ઞાનને તીવ્રતાથી પ્રાપ્ત કરવાનું શરૂ કરી દીધું. એક વખત યુક્લિડ તેને એક પ્રમેય શીખવી રહ્યા હતા. યુવકે કહ્યું કે આ પ્રમેય શીખવાથી મને શું લાભ થશે? આ સાંભળીને યુક્લિડ નારાજ થઈ ગયા અને પોતાના નોકરને કહ્યું કે મને એક ઓબેલ(યુનાની ચલણ) આપ, કારણ કે આ જ્ઞાનમાં ઓછો અને ધન કમાવામાં વધારે રસ રાખે છે તેથી તેના માટે શિક્ષણ ગ્રહણ કરવું બેકાર છે.

આ સાંભળીને શિષ્યને પોતાની ભૂલ સમજાઈ અને તેણે યુક્લિડની માફી માગી. સાર એટલો જ છેકે શિક્ષણ આત્મસમૃદ્ધિનો માર્ગ છે. તેની તુલના ક્યારેય ભૌતિક લાભ માટે ન કરવી જોઈએ અને જ્યાંથી જે માત્રામાં શિક્ષણ મળે તેને આત્મીયતાથી ગ્રહણ કરી લેવું જોઈએ.

[જીવનદર્શન http://www.divyabhaskar.co.in/article/ABH-jivan-darshan માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Thursday 26 June 2014

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.