વેબ સરિતા: 07/11/14
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Friday 11 July 2014

દ્રષ્ટિમાં ફેર, વિચારમાં મતભેદ - જીગર બ્રહમભટ્ટ

 
દરેક વ્યક્તિ ની વસ્તુઓ જોવાની અલગ અલગ દ્રષ્ટિ હોય છે અને વિચારો માં પણ ઘણા અલગ. લોકો ને બસ આજકાલ બીજા નું કોઈક વર્તન જોવે અને એના મુજબ યોગ્ય ના હોય તો ના ગમે. પણ ભૈલા દરેક જણ તારી જેમ થોડું વિચારતું હોય ?

એક થોડો યુવાન જેવો ભિખારી આવ્યો અમારી પાસે, મારો મિત્ર થોડો “રહેમ દિલ”, એના મનમાં એમ કે ઈશ્વર એ આપણા ને કૈક સારું જીવન આપ્યું છે કે થોડુંક એને આપતા આપણું શું જવાનું ? એટલે એને પેલા ને ૫ રૂપિયા આપ્યા…પછી પેલો ભિખારી અમારી સામે બેઠેલા બીજા ૨ જણ પાસે ગયો….એ હતા થોડા કડક સ્વભાવ વાળા. પેલા ને કેહ “આમ શું ભીખ માંગ્યા કરે છે, કઈ કામ કરીને પોતાના પૈસા કમાવાનું નથી સુજતું…. કામ કર આ ઉંમર માં અને પૈસા કમાય જા..”. હવે વાત ખરેખર મુદ્દા ની હતી, ઘણા યુવાનો મજુરી કરતા હોય છે નાના-મોટા કામો માં…..અને પોતે કમાયેલો પૈસો આ ભીખથી કેટલો સારો ? એમની ભાવના પણ છેવટે તો પેલા રહેમ દિલ જેવી જ જતી કે “ભિખારી નું સારું થાય” બસ એની દ્રષ્ટિ અલગ.
એક મિત્રના ત્યાં એના પિતાજીના બેસણામાં ગયો તો, એક ખાસ મિત્ર આવ્યો ને પેલો મિત્ર પિતાજીનું નામ લેતા લેતા રડીને ભેટી પડ્યો. એકદમ નિકટ નો મિત્ર હોવાથી પોતે પણ રડી પડ્યો અને બંનેના રડવાથી અમુક ક્ષણો જાણે મૌન થઇ ગઈ વાતાવરણ માં. હું જોતોજ હતો એમને એવા માં મારી બાજુવાળા બોલ્યા “આ કેવો મિત્ર, પેલા ને શાંત રાખવાનો હોય કે આમ ભરસભામાં પોક મુકવામાં મદદ કરવાની હોય?”. હું મનોમન બોલ્યો કે આ ભાઈ ને સાચા મિત્ર ને લાગણીનો એહસાસ નથી. પરંતુ થોડીક જ ક્ષણો માં એક બીજો મજબુત હૃદય વાળો મિત્ર આવ્યો ને પેલા ને રડતો જોઈ શાન્તાવના આપતા ઘણું સમજાયું એક મોટા ભાઈની જેમ અને પેલો શાંત પણ પડ્યો. બાજુ વાળા ફરી બોલી ઉઠ્યા “આ કેહવાય સાચો મિત્ર”. મને ફરી એજ વિચાર કે બંને મિત્રો મારી દ્રષ્ટિ એ ઘણા નિકટ હતા, પણ લાગણીના મોજા દરેક કિનારે ઉછળે નહિ અને ઉછળે તો પાછા ખેંચે એવી શક્તિ પણ જોડે હોવી જોઈએ. એમ જ બંને મિત્રો એ એની સાચી મિત્રતા જ નિભાવી પણ લોકોના ખોટા વિચારો લોકો ને સારા ખરાબ બનાવી દે છે આજકાલ.

ઘણા બધા અમેરિકા અને ભારત ના લોકો ની વિચારસરણી ના ફેર જોયા છે અને અમુક ગમે પણ છે અમેરિકનો જેવું વિચારે છે તેમ. એમનો એક મુદ્દો હોટેલ માં ખાવા જવાનો કે મિત્રો સાથે પાર્ટી કરવાનો છે. હું પોતે મારા કોલેજ અને સ્કુલ કાળમાંથી હમણાં જ પસાર થઇ ચુક્યો છું અને લોકોની દ્રષ્ટિ અને વિચારો નો શિકાર પણ બન્યો છું. અમેરિકા માં સૌથી પહેલી વાત હોટેલ માં ડીનર કરવા ગયા તો જમ્યા પછી અલગ અલગ બિલ આપ્યું દરેક નું. “હા” અમેરિકામાં તમે ખાસ મિત્રો હોવ કે ના હોવ. ભેગા જમવા ગયા હોવ કે પછી પાર્ટી કરી હોય તો દરેક જણ ખાધા પછી પોત-પોતાનું બિલ ચુકવે. (અગર હવે કોઈ એ પહેલે થી કીધું હોય કે હું આપીશ તો અલગ વસ્તુ છે). કોઈ જાતની કોઈ બબાલ નહિ અને શાંતિ થી દરેક ના મન ચોખ્ખા લઈને ઘરે જાય જયારે આપણા ત્યાં તદન ઉલટું પણ એટલું ચોખ્ખું નહિ. આપણા ત્યાં બધા પાર્ટી કરવા ગયા હોય તો ખાધા પછી સવાલ મન માં એ હોય કે કોણ રૂપિયા કાઢશે ? કોઈ એક પાસે પાછા વધારે હોવા જોઈએ એના માટે. પછી કોઈક કહે કે હું કાઢું છું તો અમુક લોકો ને રાહત થાય કે ચાલુ રૂપિયા શાંતિ થી આપવાના રેહશે. પેલો ભલો માણસ બધા ના રૂપિયા કાઢે અને લોકો ના આપવાની દાનત ના હોય. પાછુ પૈસા માંગવાના આવે તો શરમ આવે અને કેહ કે કેવું લાગે એવા રૂપિયા માંગવાનું ? (અલા ભૈલા…પોતે કમાય અને પછી જો કે ક્યાંથી રૂપિયા આવે છે) મિત્રતા માં આવું બધું ઘણું વધી ગયું છે આપણા ત્યાં. જેનો અમુક લોકો ઘણો ફાયદો ઉઠાવી જાણે છે અને અમુક લોકો વધારે ભોળા બનવા જાય છે. ઘણી વાર તો એવું થાય પાછુ કે કોઈક મારા જેવો ઉંધો માણસ એવું કેહ કે બધા પોત-પોતાના આપી દઈએ તો પછી લોકો એની સામે એવી રીતે જોવે કે જાણે ખુન કરી નાખ્યું. પાછા ડાઈલોગ મારીને કોઈક એક જ રૂપિયા આપે. હવે આ બધા માં કેટલા ની દ્રષ્ટિ કેવી ખરાબ કામ કરે, લોકો એક-બીજા માટે કેવું કેવું વિચારીલે અને એ વ્યક્તિ ના હોય ત્યારે ચર્ચા પણ થાય. એ બધુજ ઘણું રોજિંદુ થઇ ગયું છે સ્કુલ અને કોલેજીયનો માટે. જે એક ઘણી અયોગ્ય વિચારો અને દ્રષ્ટિ ની હારમાળા બનાવે છે. અમેરિકાનો ની “સીધી સોચ” માટે મને આ બાબતે માન છે.
એક અંતિમ મુદ્દો. “જેવા સાથે તેવા” થવાની લોકો ની નીતિ. અમુક તુચ્છ બાબતોમાં લોકો ને જેવા સાથે તેવા થવા પોતાના સિદ્ધાંતો અને વિચારો સાથે છેડા કરતા જોયા છે. એક દિવસ મારો એક મિત્ર એના રૂમમેટ જોડે ઘરનો હિસાબ કરી રહ્યો હતો, મારો મિત્ર કોઈ જાતના ખોટા વિચાર વગર થયેલા ખર્ચા નું લીસ્ટ ગણાવતો. એના રૂમમેટને હિસાબ ગણાવતા વચ્ચે કોઈક ૨ ડોલર ની વસ્તુ આવી ગઈ તો બોલી ઉઠ્યો કે “તું આવા ૨ ડોલર ના હિસાબ રાખે છે, મને ખબર ન હતી…મેં પણ તારા પેલા દિવસ ના નતા ગણ્યા, અમે તો તારા જેવું નથી કરતા પણ હવે કરીશ….તું કરે તો હું કેમ નહિ, મારા ફલાણા ડોલર કાપી લેજે ફલાણા દિવસ ના”…  ભૈલા તું નતો ગણતો તો તારા માં રહેલો એક સારો ગુણ હતો કે તે સંબંધ નું માન રાખ્યું, બીજા એ કઈ ખોટું કર્યું પણ નથી પણ બસ એક નાની મતભેદ માં પોતાનું સારાપણું ગુમાવીને દ્રષ્ટિ ખરાબ બનાવી દીધી બીજા માટે. કેટલી નાની દ્રષ્ટિ માં જીવન નીકાળે છે લોકો. દુનિયાના ઘણા સારા દાનવીરો જો “જેવા સાથે તેવા” થશે તો ક્યાં જઈને અટકશે બધું ?

આવું છે મિત્રો. દરેક જણ ને સરખી દુનિયા જોવા મળે છે અને સરખા જ માણસો પણ તોય અમુક માટે દુનિયા ઘણી સારી, અમુક માટે ઘણી ખરાબ અને અમુક ને સંતુલન દેખાય છે.
[ekvichar.wordpress.com માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/ Friday 11 July 2014

ગુરૂપૂર્ણિમા



ગુરુ નો ખરો અર્થ તો ગુરુ જેવો રહ્યો નથી આજકાલ પણ છતાંય, જેમની પાસે થી હું કૈક પણ શીખ્યો – એવા મારા શાળા ના અમુક શિક્ષક, કોલેજ ના અમુક શિક્ષક, અમુક મિત્રો, અને બીજા ઘણા બધા લોકો જેમની પાસે થી અલગ રીત ની પ્રેરણા મળી,
એ બધા ને ગુરૂપૂર્ણિમા ના દિવસે નમન કરું છું !!!
મારા ગુરુ બહુ બધા છે કારણ કે મને લોકો પાસે થી કૈક શીખી લેવાની ટેવ છે….. 

છેવટે તો, માતા-પિતા અને અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે !!! 
- જીગર બ્રહમભટ્ટ (ગુરૂપૂર્ણિમા નિમિતે)


ઓમ સહ નાવવતુ , સહ નૌ ભુનક્તુ ,
સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિ નાવધીતમસ્તુ ,સમા વિદ્વિષાવહૈ .

આદિકાળથી ભારતીય સંસ્કૃતિ અનુસાર મહાપર્વ તરીકે ગુરૂપૂર્ણિમા પર્વ મનાવવામાં આવે છે. જ્ઞાનનું દાન આપનાર આપણા ગુરૂ પ્રત્યેનું ઋણ અદા કરવાનું આ પર્વ છે. 

બાળપણથી બાળકમાં ગુણોનું સિંચન કરવું, જીવન ની સાચી દિશા બતાવીને માર્ગદર્શન આપવું,વ્યવહારો શિખવવા અને તેનું ઘડતર એક આદર્શ નાગરિક તરીકે કરવામાં ગુરૂ વિશેષ ભૂમિકા ભજવે છે. આ ગુરૂ પ્રત્યે શિષ્યના સર્વસ્વાર્પણનો દિવસ એટલે અષાઢ મહિનાની પૂર્ણિમા-ગુરૂ પૂર્ણિમા.

પ્રાચિન કાળમાં ઋષિકૂળ પધ્ધતિથી જ્યારે વિદ્યાર્થી શિક્ષણ લેતો હતો ત્યારે આ દિવસે જ તે પોતાના ગુરૂનું શ્રધ્ધા પૂર્વક પૂજન કરીને યથાશક્તિ-સાર્મથ્ય પ્રમાણે દક્ષિણા અર્પણ કરીને પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરતો હતો.અત્યારે પણ સમ્રગ ભારતભરમાં આ પરંપરા યથાવત રહી છે.

હિન્દુ ધર્મ પ્રમાણે દરેક વ્યક્તએ પોતાના એક સદગુરૂ કરવા જોઇએ અને તેમના માર્ગદર્શન અનુસાર જીવન પસાર કરવું જોઇએ. પ્રાચિનકાળના આદિગુરૂ ઋષિશ્રેષ્ઠ શ્રી વેદ વ્યાસજીની પૂજા પણ આ દિવસે કરવામાં આવે છે. વેદ વ્યાસજીએ મહાભારત દ્રારા વેદો અને શાસ્ત્રોનો સાર તથા ધર્મશાસ્ત્ર, નીતીશાસ્ત્ર,જ્ઞાન-વિજ્ઞાન અને જીવનનો અર્થ આપણને શિખવ્યો છે. વેદ વ્યાસજીની સ્મૃતિને આપણા હ્દયમાં કાયમ રાખવા માટે આપણા ગુરૂમા વ્યાસજીનો અંશમાનીને તેમનું પૂજન કરવામા આવે છે. 

ગુજરાતમાં અનેક સ્થળોએ ગુરૂપૂર્ણિમાનો ઉત્સવ મનાવવામા આવે છે. આ ઉપરાંત આવનારી પેઢી પણ ગુરૂપ્રત્યેનું ઋણ અદા કરવાની પરંપરાને જીવંત રાખે અને તેમનામાં પણ ગુરૂ પ્રત્યેની નિષ્ઠા વધે તે માટે શાળાઓ અને કોલેજોમા પણ ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. 

આધ્યાત્મિક દ્રષ્ટ્રિકોણથી પણ ગુરૂ આપણા માટે ખૂબ જરૂરી છે કેમકે સાધનાના માર્ગ પર માત્ર ગુરૂ જ આપણને અંતિમ ધ્યેયની પ્રાપ્તી કરાવી શકે છે. એટલા માટે જ આપણા શાસ્ત્રો અને પુરાણો પણ ગુરૂ મહિમાનું ગાન કરે છે. શિષ્ય અને ગુરૂની પરંપરાની અનેક વાતો આપણા ધર્મમા જણાવાયેલી છે. શ્રી રામ, આરૂણી, એકલવ્ય, ઉપમન્યુ, પાંડવો, છત્રપતી શિવાજી, સ્વામી વિવેકાનંદ જેવા અનેક મહાન વ્યક્તિઓએ સ્વયંને શ્રેષ્ઠ શિષ્ય તરીકે સાબિત કર્યા છે.

ગુરૂદક્ષિણા સમર્પિત કરવાની પરંપરા ખૂબ પ્રાચિન છે, તેમ છતાં વર્તમાન સમયમા તે એટલી જ પ્રાસંગિક પણ છે. ગુરૂ દક્ષિણાનો અર્થ ખૂબ વ્યાપક છે. વ્યક્તિએ જીવનમાં જે પાઠ ગુરૂ પાસેથી ગ્રહણ કર્યા હોય તેનુ સ્વયં આચરણ કરીને બીજી વ્યક્તિઓને પણ તે પાઠ શિખવવા એ જ એક આદર્શ છે. જ્ઞાનનો યોગ્ય પ્રચાર-પ્રસાર કરીને જનકલ્યાણ કરવું જોઇએ. ગુરૂ દક્ષિણાનો અર્થ શિષ્યની પરીક્ષા સંદર્ભે પણ લઇ શકાય છે. ગુરૂની સાચી દક્ષિણા તો એ જ છે જ્યારે ગુરૂ સ્વયં જ ઇચ્છે કે હવે શિષ્ય પણ ગુરૂ બને. ગુરૂ દક્ષિણા ત્યારે આપવામાં આવે છે અથવા તો ગુરૂ ત્યારે ગ્રહણ કરે છે,જ્યારે શિષ્યમાં સંપૂર્ણતા આવી જાય. 

સ્વામી વિવેકાનંદે પોતાના ગુરૂની આજ્ઞા અનુસાર સમ્રગ વિશ્વમાં સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કર્યો હતો.છત્રપતિ શિવાજીએ ગુરૂની આજ્ઞા અનુસાર સિંહણનું દૂધ લાવીને અને મહારાષ્ટ્ર જીતીને ગુરૂ દક્ષિણા આપી હતી. ભગવાન બુધ્ધના ઉપદેશોની અસરોથી જ અંગુલીમાન જેવો ક્રુર ડાકુ પણ ભિક્ષુક બની જાય છે.

જેવી રીતે ચાણ્યક્યએ ચંદ્રગુપ્ત મૌર્યને, સર્મથ ગુરૂ રામદાસે છત્રપતિ શિવાજીને અને રામકૃષ્ણ પરમહંસે સ્વામી વિવેકાનંદને શોધી લીધા તેવી રીતે સદગુરૂ પણ તેના સર્મથ શિષ્યને શોધી લે છે. શિષ્યએ તો માત્ર ગુરૂ ચરણોમાં સમર્પિત થવાની જરૂર છે. 

[વેબદુનિયા.કોમ માંથી સાભાર]

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.