વેબ સરિતા: 01/24/15
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Saturday 24 January 2015

નિસર્ગનુ યૌવન એટલે વસંત પંચમી - વેબદુનિયા


જોવુ હોય તો વસંત પંચમીથી કુદરતને ધ્યાનથી નિહાળવી શરૂ કરો. સોળે કળાએ ખીલી ઊઠેલી પ્રકૃતિ, સૌંદર્યની લહાણ કરતી સૌને આકર્ષે છે. આપણે જેમ ઉત્સવ ઊજવીએ છીએ તેમ પ્રકૃતિ પણ તેનો ઉત્સવ ઊજવે છે અને તે ઉત્સવના વધામણાં આપતો મહા સુદ પાંચમનો દિવસ એટલે વસંત પંચમી. નિસર્ગ સાથે સંકળાયેલો માણસ તેનાથી અલિપ્ત કેમ રહી શકે? તેથી માનવ સમાજ પણ વસંત પંચમીનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉમંગથી ઊજવે છે. 

વસંત એ તો સૃષ્ટિનું યૌવન છે અને યોવન એ જીવનની વસંત છે. વસંત એટલે નિસર્ગનો છલકાતો વૈભવ. વસંત એટલે જીવન ખિલવવાનો ઉત્સવ. વસંતઋતુ એટલે તરુવરોનો શણગાર. વસંત એટલે નવપલ્લવિત થયેલું, ખીલેલું, આમ્રકુંજોની મહોરની માદક સુવાસથી મહેંકી ઊઠેલું ઉલ્લાસ અને પ્રસન્નતાથી છલકાતું નિસર્ગનું વાતાવરણ. અને તેમાંયે કોયલનું મધુર કુંજન પણ મનને આનંદવિભોર બનાવે છે. 

વસંત ઋતુ એટલે બધી રીતે સમાનતા. આ દિવસો દરમિયાન કડકડાતી ઠંડી લાગતી નથી કે પરસેવો પાડનારો તાપ પણ હોતો નથી. દરેકને ગમે તેવુ ઋતુ, જીવનમાં વસંત ખીલવવે હોય તો જીવનમાં આવનારાં સુખદુ:ખ, જયપરાજય, યશઅપયશ વગેરેમાં સમાનતા રાખતા આવડવી જોઈએ. 

વનસ્પતિ સૃષ્ટિની જેમ માનવ જીવનમાં પણ પાનખર આવે જ છે ત્યારે ઇશશ્રદ્ધા રાખી પોતાના પુરુષાર્થમાં મક્કમતાથી મંડ્યા રહીશું તો પ્રભુ આપણું જીવન ખીલવશે જ, એવો આશાદીપ સતત પ્રજવલિત રાખવાનું સૂચન વસંત કરે છે. તે આપણું જીવન હરિયાળું બનાવશે જ, તેની ખાતરી રાખવાની છે. 

વસંત ઋતુ એક વેદકાલીન પર્વ છે. આ દિવસે બ્રાહ્મણો પોતાના બાળકોનો ઉપનયન સંસ્કાર કરી ઋષિ આશ્રમમાં પ્રવેશ આપતા. 
શિક્ષણક્ષેત્રે આ દિવસે સરસ્વતી પૂજન કરવામાં આવે છે. બદલાતા સમય સાથે આપણે ટેકનોલોજીની નજીક અને કુદરતથી દૂર થતા જઈ રહ્યા છે.  તેવા સમયે કુદરતના રૂપને નિહાળીશુ તો ખ્યાલ આવશે કે આપણે કોની અવગણના કરી રહ્યા છીએ અને શુ ગુમાવી રહ્યા છીએ. 
[http://gujarati.webdunia.com/ માંથી સાભાર ]
**************************************************************************************************************************


પ્રકૃતિનો અનેરો ઉત્સવ એટલે વસંતપંચમી
  
 


Vasant Panchami festival invisible nature
ઋતુઓની રાણી વસંતના આગમનની સાથે જ જાણે કે ધરતી ખીલી ઉઠે છે. પ્રકૃતિના આ મહોત્સવ સાથે જ્ઞાન અને વિધાની દેવી મા શારદાનો સંગમ છે. વસંત પંચમીના પર્વને ઉજવવા પાછળનું કારણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતીની જ્યંતિ હોવાનું પણ માનવામાં આવે છે. કહેવાય છે કે દેવી સરસ્વતી વસંત પંચમીના દિવસે બ્રહ્માના માનસથી અવતરીત થયા હતા. વસંતના ફૂલ, ચંદ્રમા અને તુષાર જેવો તેમનો રંગ હતો.
સરસ્વતી દેવીના બાર નામ તમારા અજ્ઞાનનો નાશ કરીને પ્રકાશ તરફ લઈ જાય છે. વસંત પંચમીના અબોધ નક્ષત્રમાં પણ માં સરસ્વતીનુ વિધિપૂર્વક પૂજન કરવાથી ચોક્કસ સફળતા મળે છે. આ દિવસે ભક્તો પર માતાની વિશેષ કૃપા રહે છે. તેમના બાર નામ ભારતી, સરસ્વતી, શારદા, હંસવાહિની, જગતી, વાગીશ્વરી, કુમુદી, બ્રહ્મચારિણી, બુદ્ધિદાત્રી, વરદાયિની, ચંદ્રકાંતિ અને ભુવનેશ્વરી છે.
વસંત પંચમીના દિવસે માતા શારદાની પૂજા કરવામાં આવે છે. માતા સરસ્વતીની પૂજાથી પ્રાપ્ત થતા જ્ઞાન અને કળાના સમાવેશથી મનુષ્યના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. મહા મહિનાની સુદ પાંચમે સૌથી પહેલાં શ્રીકૃષ્ણએ દેવી સરસ્વતીનું પૂજન કર્યું હતું. ત્યારથી સરસ્વતી પૂજનનું પ્રચલન વસંત પંચમીના દિવસે ઉજવવાની પરંપરા ચાલતી આવે છે.
વસંત પંચમીના દિવસે પીળા વસ્ત્ર ધારણ કરી પીળુ ચંદન, પીળા અક્ષત, પીળા ફૂલ, ધૂપ દીપ નૈવેધ, ગંગા જળ પાન, સોપરી, લવિંગ, ઈલાયચી, પીળા વસ્ત્ર, વાદ્ય યંત્ર, પુસ્તકો વગેરેથી સરસ્વતીની પ્રતિમાને ઊંચા આસન પર મુકી પૂજા કરવી જોઈએ અને ઉભા થઈને સરસ્વતીની આરતી કરવી જોઈએ.
મધ્યપ્રદેશમાં મેહરની અંદર આલ્હા દ્વારા બનાવેલ સરસ્વતી દેવીનું પ્રાચીન મંદિર આવેલું છે. લોકોનો વિશ્વાસ છે કે આલ્હા આજે પણ વસંત પંચમીના દિવસે દેવી સરસ્વતી પૂજા કરવા અહીંયા આવે છે. એક લોકવાયકા અનુસાર પ્રાચીનકાળમાં ગુરૂના શ્રાપથી યાજ્ઞવલ્ક્ય મુનિની વિધા નષ્ટ થઈ ગઈ હતી. તેમણે સરસ્વતીની પૂજા કરી. ત્યાર બાદ સરસ્વતીની કૃપાથી તેમની સ્મરણશક્તિ પાછી આવી હતી. વસંત પંચમીના દિવસે ઋષિએ પોતાની વિધા પાછી મેળવી હતી.
આપણા પૌરાણિક ગ્રંથોમાં વાગ્દેવી સરસ્વતીના શાસ્ત્રોક્ત રૂપ- સ્વરૂપોનું વિશાળ વર્ણન મળે છે. ઋગ્વેદમાં વિધાની દેવીને એક પવિત્ર સરિતના રૂપમાં વર્ણિત કરવામાં આવી છે. મહાભારતમાં દેવી સરસ્વતીને શ્વેત વર્ણવાળી, શ્વેત કમળ પર આસીન તેમજ વીણા અક્ષમાળા તેમજ પુસ્તક ધારણ સ્વરૂપ રચવાનો નિર્દેશ આપ્યો છે. તે વખતે નિર્દેશોને અનુસાર જ કલાકારોએ વાગ્દેવીને વિવિધ શાસ્ત્રસમ્મત રૂપોને પાષાણ અને ચિત્રોમાં અંકિત કરી હતી.
[http://www.vishwagujarat.com/ માંથી સાભાર ]
*******************************************************************

વસંત પંચમી માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન :

વસંત પંચમીએ માતા સરસ્વતીને શા માટે ચઢાવાય છે ચોખાનો ભોગ?
વસંત પંચમીના દિવસેને માતા સરસ્વતીના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. 
વસંત પંચમી(આ વર્ષે 4 ફેબ્રુઆરી) વિશેષ કરીને માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. તેની પાછળ અનેક ધાર્મિક લોકકથાઓ છે જેમાં એક આ પ્રકારે છે….

કહેવાય છે કે જ્યારે વિષ્ણુની આજ્ઞાથી બ્રહ્માણે સૃષ્ટિની રચના કરી, વિશેષ કરીને મનુષ્યોની રચના પછી જ્યારે બ્રહ્માએ પોતાની રચનાને જોઈ તો તેમને લાગતું હતુ કે, કંઈક ખામી રહી ગઈ છે. જેના લીધે ચારેય તરફ મૌન છવાયેલું રહે છે. વિષ્ણુની અનુમતિ લઈ તેમને એક ચર્તુભૂજી સ્ત્રીની રચના કરી જેના એક હાથમાં વીણા તથા બીજા હાથમાં વરમુદ્રા હતી. અન્ય બંને હાથમાં પુસ્તક અને માળા હતી. બ્રહ્માએ દેવી પાસેથી વીણા વગાડવાનો અનુરોધ કર્યો. જેવો દેવીએ વીણાનો મધુરનાદ કર્યો, સંસારના સમસ્ત જીવન-જંતુઓને વાણી પ્રાપ્ત થઈ ગઈ. જલધારામાં ચેતના આવી ગઈ. પવન ચાલવાથી સરસરાહટ થવા લાગી. ત્યારે બ્રહ્માણે આ દેવીને વાણીની દેવી સરસ્વતી કહી.
સરસ્વતીને ભગવતી, શારદા, વીણાવાદીની અને વાગ્દેવી સહિત અનેક નામોથી પૂજવામાં આવે છે. માતા વિદ્યા અને બુદ્ધિ પ્રદાતા છે. સંગીતની ઉત્પત્તિ કરવાને લીધે તેઓ સંગીતની દેવી પણ છે. વસંત પંચમીના દિવસે તેમનો જન્મોત્સવના રૂપમાં મનાવવામાં આવે છે. ઋગ્વેદમાં ભગવતી સરસ્વતીનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમની સમૃદ્ધિ અને સ્વરૂપનું વૈભવ અદભૂત છે. પુરાણો પ્રમાણે શ્રીકૃષ્ણએ સરસ્વતીથી ખુશ થઈ તેમને વરદાન આપ્યું હતું કે, વસંત પંચમીના દિવસે તમારી પણ આરાધના કરવામાં આવશે. વસંત પંચમીના દિવસે સરસ્વતીનો જન્મ દિવસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે તેમની આરાધના કરવામાં આવે છે.
તેની સાથે જ આ દિવસ અબૂઝ (વણજોયેલુ) મૂરતના નામે પણ ઓળખાય છે. વસંત પંચમીના દિવસે કોઈ નવું કામ પ્રારંભ કરવાનું અતિ શુભ માનવામાં આવે છે. આ કારણે જ ઋષિઓએ વસંત પંચમીના દિવસે સરસ્વતી પૂજાની પ્રથા ચાલું કરી હતી. કોઈ પણ કલા અને સંગીતના શિક્ષણની શરૂઆત કરતા પહેલા માતા સરસ્વતીની પૂજા કરવાનું શુભ માનવામાં આવે છે. 
જે વિદ્યાર્થીઓ મહેનતની સાથે સરસ્વતીની આરાધના કહે છે તેમને જ્ઞાનની સાથે-સાથે સન્માન પણ પ્રાપ્ત થાય છે. વસંત પંચમીના દિવસે સૌ પ્રથમ શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે. શ્રીગણેશની પૂજા પછી માતા સરસ્વતીની પૂજા કરવામાં આવે છે. શિક્ષા, ચતુરાઈ ઉપર વિવેકનો અંકુશ લગાવે છે. વસંત પંચમીના દિવસે માતા સરસ્વતીના ભોગમાં વિશેષ કરીને ચોખાનો ભોગ લગાવવામાં આવે છે. તેનું કારણ એ છે કે, માતા સરસ્વતીને શ્વેત રંગ ખૂબ જ પ્રિય હોય છે. તેની સાથે જ ચોખાને હકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. એવી માન્યતા છે કે, ચોખાનો ભોગ લગાવવાથી ઘરના બધા જ સભ્યોને માતાના આશીર્વાદની સાથે હકારાત્મક બુદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
*************************************************************

Posted By: http://web-sarita.blogspot.com/ Saturday 24 January 2015

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.