વેબ સરિતા: 04/12/22
વેબ સરિતા: મારી વાંચનયાત્રા

Tuesday 12 April 2022

"બહિષ્કાર શા માટે ?"

 ભેદભાવ ને કારણે બહિષ્કાર જન્મે છે. વિચાર આવે કે  ભેદભાવ શાનો ? સરકારની વખતોવખતની નીતિના કારણે કર્મચારીઓને મળતા લાભો આપવામાં વિલંબ કરવો કે  ન આપવા તથા 'સમાન કામ સમાન વેતન ' ની નીતિમાં ભેદભાવ કરવો. જ્યારે જ્યારે સરકાર દ્વારા કર્મચારીઓને જે લાભો મળવા પાત્ર થતા હોય તે આપવામાં ન આવે ત્યારે ભેદભાવની પરિસ્થિતિ સર્જાય છે. એના પરિણામ સ્વરૂપ કોઈપણ સંસ્થાના કર્મચારીઓ સામૂહિક રીતે પોતાની કામગીરીનો બહિષ્કાર કરવા મજબૂર થાય છે. બહિષ્કાર એ અંતિમ પગથિયું છે. તે પહેલાં બીજા ત્રણ પગથિયાં આવે છે જેમ કે  મુલાકાત કરવી, ચર્ચા કરવી, સમાધાન કરી આશ્વાસન આપવું. જ્યારે આ ત્રણેય પગથિયાં નિષ્ફળ જાય છે ત્યારે અંતિમ પગથિયું બહિષ્કારનું જન્મે છે. બહિષ્કારનાં પરિણામ  સ્વરૂપે હળતાલનો જન્મ થાય છે, જેમ કે બેંકમાં ત્રણ કે ચાર દિવસ હળતાલ છે, સરકારી ક્મચારીઓ હળતાલ પર છે કે શિક્ષકોએ પોતાની કામગીરીનો બહિષ્કાર કર્યો વગેરે વગેરે... વિચાર આવે આવું શા માટે ? કર્મચારીઓ દ્વારા ભરવામાં આવતું આ અંતિમ પગથિયું હોઇ છે. અગાઉ ત્રણ પગથિયાં જો સરકારે ધ્યાનમાં લઈ સમયમર્યાદામાં કર્મચારીઓની માંગણી કે મળવા પાત્ર લાભો આપ્યા હોય તો આવી પરિસ્થિતિનો ઉદ્દભવ જ ન થાત. સુમેળભર્યું વાતાવરણ જળવાઈ રહે. પ્રત્યેક કર્મચારી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે એ ખૂબ જરૂરી છે અને સરકારે પણ કર્મચારીઓના હકો પ્રત્યે સજાગ રહેવાની જરૂર છે. કર્મચારીઓની કામગીરી દ્વારા જ સરકારના કાર્યોની પ્રશંસા થતી હોય છે. અંતમાં આપણે સૌ કર્મયોગી છીએ ...

- મુકેશ મેરાઈ   , અડાજણ

Published by Gujarat Mitra : Charachapatra  on dt. 08/04/2022

Posted By: http://web-sarita.blogspot.com/ Tuesday 12 April 2022

"કયા  છે રાષ્ટ્ર ભાવના?"

 આજનો માનવી બસ પોતાનો જ સ્વાર્થ  જોવે છે,પોતાનો જ વિચાર કરે છે,પોતાના જ પરિવારનુ વિચારે છે પણ રાષ્ટ્રનુ કદી વિચારતો નથી. દરેકને પોતાની જરૂરિયાત પૂરી કરવી છે, પણ રાષ્ટ્રની પ્રગતિ નહિ. રાષ્ટ્ર ભાવના રાષ્ટ્રીય તહેવારોની ઉજવણી સુધી જ સીમિત છે પણ રાષ્ટ્રીયતા માટે નહિ. પોતાની સમસ્યાઓ દૂર કરવા સૌ કોઈ  ચિંતાતુર  છે પણ રાષ્ટ્રની સમસ્યાઓ દૂર કરવામા કોઈને પણ રસ નથી. બસ આપણે આપણો જ વિચાર કરવાનો. દેશનુ જે થવાનુ હોય તે થાય. બિનસાંપ્રદાયિકતાની ફકત વાતો જ થાય છે. એની મૂળ ભાવનાને કોઈ જ સમજતુ નથી. દરેક ધર્મો ને પોતપોતાનુ વર્તુળ મોટુ કરવુ છે પણ કેટલાક ધર્મો દ્વારા કોમી એખલાસની ભાવનાનુ વાતાવરણ ડહોળવુ છે. 'ધ કાશ્મીર ફાઇલ' ફિલ્મ અને મૂળ કાશ્મીરી લોકોના આ મૂવી વિશેના અને જે ઘટના ભૂતકાળમા ઘટી એ વિશે ન્યૂઝ ચેનલો દ્વારા ભારતીય સમાજને તેની ભયાનકતા અને સચ્ચાઈ  આટલા વર્ષો પછી જાણવા મળી એ સંવેદનાને સમજવા અનુભવવા જેટલી માનસિકતાના બદલે એમા રાજકારણ  અને જુદા જુદા ધર્મો એને જુદી રીતે મૂલવવા તથા પોતાનો કક્કો જ સાચો પાડવા હવાતિયા મારતા હોઈ એવુ વાતાવરણ સર્જવામા આવ્યુ. રાષ્ટ્રીય એકતા અને રાષ્ટ્રીય ભાવનાનુ ચીરહરણ થયુ હોય એવુ લાગ્યુ. ચોક્કસ સમાજના લોકો આપણા જ દેશમા એનો ભોગ બન્યા. જાણે એના ન્યાયની વાતો એક સમાચાર જ બની ગય આટલા વર્ષો  પછી પણ....

  અંતમા કોમી એકતા ત્યારે જ સંભવશે જયારે બધાજ  ધર્મના લોકો એકબીજાના ધર્મનો આદર કરશે. અને ભારતીય  હોવાનો સાચો ધર્મ પાળશે. જુદા જુદા ધર્મોમા જે રીતે અઠવાડિયે એક વખત સભા યોજવામા આવે છે તેવી રીતે ભારતના દરેક રાજ્યમા ,શહેરોમા અને ગામડાઓમા જે ધર્મગુરુઓ  હોય એની એક સભા થવી જોઈએ અને દેશની પ્રગતિમા આપણી શુ ભૂમિકા  હોય એ નકકી કરી કોમી એકતાનુ વાતાવરણ જળવાઈ રહે એની સંપૂર્ણ  જવાબદારી જે તે ધર્મના વડાઓ એ નિભાવવી જોઇએ. તો જ ગૌરવવંતા ભારતનુ ગૌરવ અને 'વિશ્વ  એક કુટુંબ છે.' એ ભાવના સાચા અર્થમા જળવાશે. હુ શોધુ છુ એ લોકો ને જેમા 'રાષ્ટ્ર ભાવના' ભારોભાર ભરેલી હતી...

     જય હિન્દ🙏

- મુકેશ બળવંતરાય મેરાઈ  ,  સુરત 

Published by Gujarat Mitra : Charachapatra  on dt. 03/04/2022

Posted By: http://web-sarita.blogspot.com/

Contact Us

Name

Email *

Message *

 

Latest post

About Us

Recent Comment

Copyright © . WebSarita. All Rights Reserved.
Designed by :-Way2themes
Powered By: © Mr. Mukesh Merai. All Rights Reserved.