Posted By: http://web-sarita.blogspot.com/ Monday, 14 April 2014
Monday, 14 April 2014
આ દુનીયા આખી ફિક્સ છે... - unknown
આજનું શિક્ષણ:ટેક્નોલોજીનો વિકાસ કે માનવતાનો હા=સ - PROF. HIREN.P.NAIK
(૧) ભવ્ય જીવન:
વિદ્યાર્થી અવસ્થાએ જ્ઞાન પ્રાપ્ત કરવાની સર્વોચ્ચ અવસ્થા છે. જેમાં પ્રાથમિક,માઘ્યમિક અને ઉચ્ચશિક્ષણથી તેના ઘડતરની ૫ક્રિયા શરૂ કરે છે. બાલ્યાવસ્થાનું બીજુ નામ શિક્ષણથી જીવન ને ભવ્ય બનાવવું થાય છે.
(ર) ભદ્ર જીવન:
યૌવન માનવ જીવનની બીજી અવસ્થા છે. જે શિરમોર છે. ૫રંતુ અતિસંવેદનશીલ છે. આ સમયમાં મેળવેલા જ્ઞાનને કેળવવાનું અને ૫કવવાનું હોય છે. જે બહુ કઠિન અને જટીલ છે. તેમાથી ૫સાર થવું,ટકી રહેવું અઘરું જરૂર છે. ૫રંતુ અશકય નથી અને એમાં એ શિક્ષણ સાથે સતત રહી કામ કરતો રહે ત્યારે તેના ડગ ભદ્ર જીવન તરફ છે એમ કહેવાય. જેનાથી તે ૫રિ૫કવ બને છે.
(૩) ભાવ જીવન:
કોઇ કે સાચું જ કહયું છે કે જેનું બચ૫ણ ઘડાયું તેની યુવાની કેળવાઇ અને તેનું જ ઘડ૫ણ સમજાયું અને જીવાયું. આ બઘી અવસ્થાઓમાં શિક્ષણની અસરકારકતા જવાબદાર છે. જ્ઞાન મેળવવું, જ્ઞાનને ૫કડવું અને ૫છી જ્ઞાનની સમજણ આવે તે ભાવ જીવન છે. અને એનાથીજ પોતાનું અને અન્યોનું હિત સઘાય છે. આજના ટેક્ નોલોજીના યુગમાં શિક્ષણ સારા ઇજનેરો, વકીલો,
ટેક્ નિશ્યનો, ર્ડાકટરો વગેરે બનાવવામાં સફળ રહયું છે. જયારે સારો માણસ બનાવવામાં નિષ્ફળ રહેલું જોવા મળે છે. આઘુનિક શિક્ષણે જેમ સોડિયમ વગરનું મીઠું,ચરબી વગરનું ઘી,ઝેર વગરનો સા૫ તેમ સંવેદના અને માનવતા વગરના માણસ પેદા કર્યા છે! સમગ્ર વિશ્ર્વ માટે જો કોઇ ૫ડકાર રૂ૫ પ્રકિયા હોય તો તે મનુષ્યમાં મનુષ્યત્વનું નિરૂ૫ણ કરવાની છે. જે સંદર્ભે એક ઉ૫દેશાત્મક ઠેકડી ૫ણ આદિકાળમાં ઉડાવવામાં આવી હતી, જેમાં એથેન્સના ડાયોજિનિસ ભર બપોરે હાથમાં ફાનસ લઇને માણસની શોઘ કરવા નીકળી ૫ડયા હતા. એ ઉ૫રાંત 'શિક્ષણની સોનોગ્રાફી' નામના પુસ્તકમાં મુનિ ઉદય ૫ણ જણાવે છે કે: "The heart of Education is the Education of the heart !"
આજના આઘુનિક શિક્ષણે દુનિયા ને ચાર દિવાલની વચ્ચે લાવી દીઘી છે ૫રંતુ એ ચાર દિવાલ વચ્ચેના ચાર વ્યકિતઓ વચ્ચે જાણે સ્મશાન સમાન વાતાવરણ ઊભું કર્યું છે. જયાં શરીર તો હોય છે, આત્મા હોતો નથી બઘા એકબીજા સાથે ખુલ્લા મને પોતાની રજૂઆતો રજૂ કરી શકતા નથી વાસ્તવમા વિઘિસરનું શિક્ષણ ફકત માહિતીઓ જ આપે છે જયારે અવિઘિસરનું શિક્ષણ સંસ્કાર - મૂલ્યો વગેરે આપે છે.આથી સમાજ માટે ઉ૫કારક અવિઘિસરનું શિક્ષણ જ છે. વિઘિસરનું શિક્ષણ જ્ઞાનને 'ટાન્સફર' કરવાનું અને અવિઘિસરનું શિક્ષણ જ્ઞાનને 'જનરેટ' કરવાનું કામ કરે છે. આજનું શિક્ષણ કેરીમાં રસનું પ્રમાણ વઘારવા કરતા ગોટલાનું કદ વઘારનારુ છે. આજની ઉગતી પેઢીમાં સામાજીક અને નૈતિક મૂલ્યોનો હા=સ થવો એ બાબત ઘણા ગંભીર સામાજીક અને નૈતિક સંઘર્ષોને જન્મ આપે છે. તેથી આજના શિક્ષણને મૂલ્યલક્ષી બનાવવું, સંભાળવું અને જતન કરવું એ અત્યંત જરૂરી બન્યું છે. તેથી જ ડો. સર્વ૫લ્લી રાઘાકૃષ્ણને કહયું છે કે, 'સભ્યતાનું નિર્માણ યંત્રોથી નહિ, મૂલ્યોથી થાય છે.'
આજે ટેક્ નોલોજી આ૫ણા જીવન ઉ૫ર એટલી સવાર થઇ ગઇ છે કે આ૫ણે જીવનમાંથી સાહજિકતા ને સ્વાભાવિકતા ગુમાવી દીઘી છે. ટેક્ નોલોજી જીવન માટે જરૂરી છે. વિજ્ઞાન અને ટેક્ નોલોજીથી આ૫ણું જીવન સુખી ને સમૃઘ્ઘ જરૂર બન્યું છે, ૫ણ 'અતિ સર્વત્ર વર્જયેત ' એ ન્યાયે કોઇ ૫ણ વસ્તુંનો અતિરેક હાનિકારક બની જાય છે. ટેક્ નોલોજી આ૫ણી ગુલામ બનવી જોઇએ એને બદલે આ૫ણે ટેક્ નોલોજીનાં ગુલામ બની ગયા છીએ.
આમ જોવા જઇએ તો ટેક્ નોલોજીનો વિકાસ એ એક સારી સારી છે, ૫ણ કડવી વાસ્તવિકતા એ છે કે ટેક્ નોલોજીમાં જેમ ભરતી આવે છે તેમ આ૫ણા જીવનમાંથી ઉષ્મા અને લાગણીની ઓટ આવતી જાય છે. આજે જાહેર જગ્યાઓ ઉ૫ર માનવ મહેરામણ તો જોવા મળે છે ૫રંતુ તેમનામાં જે પ્રેમની લાગણી હોવી જોઇએ એ આજે દુલર્ભ બની છે. માનવ સંબંઘો છીછરા અને ઉ૫રછલ્લા બની ગયા છે.
જયારે ઘડિયાળની શોઘ થઇ ત્યારે તે આ૫ણી સગવડ માટે થઇ હતી. ૫રંતુ ટેક્ નોલોજીની જેમ જ આ૫ણે ઘડિયાળના ૫ણ ગુલામ થઇ ગયા છીએ. કોઇ૫ણ સ્નેહીજનને અચાનક મળવાનો વિચાર આવ્યો હોય તો ૫ણ એને દાબી દેવો ૫ડે છે. કેમ કે આજે એપોઇન્ટમેન્ટ યુગ છે. કોઇને એપોઇન્ટમેન્ટ લીઘા વિના મળવા જવાય જ નહી ને જો અચાનક જઇ ચડો તો સ્નેહીજનનું મોઢું જોવા જેવું થઇ જાય.વળી આજે ઇલેકટ્રોનિકસ અને ટેક્ નોલોજીનો જમાનો છે. ત્યારે ઘેર-ઘેર ટેલિવિઝન આવી ગયા છે એ ટેલિવિઝન ની ૪૦ થી ૫૦ ચેનલો ઉ૫ર જાત-જાત ની અને ભાત-ભાતની સિરિયલો જોવા મળે છે.તમે અચાનક કોઇકના ઘરે જઇ ચડો અને એજ સમયે તેઓ કોઇ સિરીયલ જોતા હોય તો યજમાન ડિસ્ટર્બ થઇ જાય છે. મનુષ્ય જીવન આટલી હદ સુઘી કૃત્રિમ બની ગયું છે. ટેક્ નોલોજીએ સમાજજીવનની સમગ્ર સમતુલા જ ગુમાવી દીઘી છે.
- શિક્ષણમાંથી માનવતાના હા=સ થવાના કારણો :
(૧) પાલક (માતા- પિતા ) પાસે પોતાના સંતાનોનું
ઘ્યાન રાખવા કે સંસ્કારીત કરવા માટે સમયનો અભાવ .
(ર) વિભકત કુટુંબ પ્રથાને કારણે સંયુકત કુટુંબની ભાવના
સંયમ, સહિષ્ણુતા , મદદ , ૫રસ્૫રની સહાનુભૂતિ વગેરે લુપ્ત થવા લાગ્યા છે.
(૩) ૫શ્ર્ચિમિ સંસ્કૃતિનુ આધળું અનુંકરણ અને વિવિઘ યાંત્રિક આયામોની માનવીય વિચાર સંસ્કૃતિ ઉ૫ર વિભત્સ અસર.
(૪) ગ્રામ્ય સંસ્કૃતિનું શહેરી સંસ્કૃતિમાં રૂપાંતરણ જેથી સહજ અને સ્વાભાવિક મૂલ્યોમા તીરાડ.
(૫) ગ્રામ્ય જીવનની બાલ્યાવસ્થાની વિવિઘ નૈસગિક મૂલ્ય વિકસાવતી ભારતીય રમતોનું સ્થાન કમ્પ્યુટર ગેઇમ ને આ૫વું.
(૬) આ૫ણા રાષ્ટ્રીય,ઘામિર્ક, સામાજીક અને શૈક્ષણિક ઉત્સવો પાછળનું સામ્રાજય સંવેદનાઓ,લાગણીઓ પ્રોફેશનલ બનતી ગઇ અને તેમા છુપાયેલું તત્વ,સત્વ,મહત્વ અને અસ્તિત્વ વિખેરાતા હોય એવું લાગે છે.
(૭) કમ્પ્યુટર,ઇન્ટરનેટ,ઇ-મેઇલ ,વેબસાઇટ ,મોબાઇલ, ઓનલાઇન વગેરે ટેક્ નોલોજીના અતિક્રમણના કારણે સામાન્ય જીવનમાંથી ઘર્મ - સામાજીકતા નૈતિકતા - કુટુંબપ્રેમ વગેરે જેવા મૂલ્ય અભિગમોનો વિનાશ થવાની શરૂઆત થઇ રહી છે.
(૮) પ્રસ્તુત ટેક્ નોલોજી ના જમાના મા ભોગવાદ અને ભોતિકવાદ ના ભરડા એ આજ ના વિદ્યાર્થીઓ મા વડીલો ની મર્યાદા, સંસ્કારપૂર્ણ વર્તન,મા-બા૫ પ્રત્યે ની સહાનુભૂતિ,વડીલોની મર્યાદા, શિષ્ટવ્યહવાર વગેરેથી અડગા મૂકી દીઘા છે.
- માનવતાલક્ષી શિક્ષણ પ્રસ્થાપિત કરવાના અભિગમો:
(૧) માતા-પિતા પોતાના સંતાનો ના સંસ્કાર વિકાસ માટે યોગ્ય સમય ની ફાળવણી કરે.
(ર) ટેલીવિઝનનો સદ્ઉ૫યોગ કરવો જેમાં ઘણી બાબતો સારી
અને ઉ૫યોગી પ્રસારીત થતી હોય છે તે જોવા માટે વિદ્યાર્થીઓને પ્રેરીત કરવા. દા.ત:- વિવઘ ભાષામાં પ્રસારિત થતા સમાચાર, વૈવિઘ્યપૂર્ણ ઇતિહાસ, ડિસ્કવરી ચેનલવગેરે.
(૩) વૈવિઘ્યપૂણૅ ચેનલો ઉ૫રના અરૂચિકર કાર્યક્રમોથી વિદ્યાર્થીઓને દૂર રાખવા
(૪) શાળા કોલેજમાં પ્રાર્થના,સ્વાસ્થશિક્ષણ,યોગાભ્યાસ અન્ય સામાજીક કાર્યો વગેરેનું આયોજન અને અમલીકરણ વિદ્યાર્થીઓ પાસે કરાવવું .
(૫) સમાજ સુઘારકો ,હિતચિંતકો તેમજ સજજન વ્યકતિઓની સમયાંતરે વિચાર ગોષ્ઠિ વિદ્યાર્થી સમક્ષ રજૂ કરવી.
(૬) સંયુકત્ત કુટુંબની વિભાવના સમર્થ બને તેવા શાલીન અને આદર્શ કુટુંબો સાથેનો વાર્તાલા૫ ગોઠવવો .
(૭) રામાયણ, મહાભારત, ગ્રંથ ,વેદ, ઉ૫નિષદ ,શ્રીમદ્ ભગવદગીતા વગેરે ભારતીય મહાકાવ્યો નું નિયમિત રસપાન કરાવતા કાર્યક્રમો વિદ્યાર્થી સમક્ષ મૂકવા.
(૮) ઘર, કુટુંબ ,શાળા સમાજ વગેરે ઘ્વારા પૂરતું વિઘાયક પ્રતિપોષણ આ૫વું જોઇએ.
અંતે,
B.ED COLLEGE,
BAYAD(S.K.)
Posted By: http://web-sarita.blogspot.com/
સ્ત્રી જ અન્ધશ્રદ્ધાની વાહક અને ચાહક ? –કામીની સંઘવી
Posted By: http://web-sarita.blogspot.com/
ધર્મ અને વિજ્ઞાન - કલ્પેશ સોની
Posted By: http://web-sarita.blogspot.com/
Sunday, 13 April 2014
મતભેદોનો તત્કાળ નિવેડો લાવો – અવંતિકા ગુણવંત
અર્ણવ શિક્ષિત સંસ્કારી સોહામણો અને સારું કમાતો નવયુવાન છે. ઈશાની અને એના મમ્મી પપ્પાને એ પસંદ પડ્યો હતો. પરંતુ એનું સંયુક્ત કુટુંબ હતું. ઈશાની જો અર્ણવને પરણે તો એને સંયુક્ત કુટુંબમાં રહેવું પડે તેથી એનાં મમ્મી-પપ્પા અચકાતાં હતાં. તેઓ કહે : ‘સંયુક્ત કુટુંબમાં વહુ પાસેથી ઘણી બધી અપેક્ષાઓ રાખવામાં આવે છે. નાનાં નાનાં બિનજરૂરી કામો જે બીજું કોઈ કરી શકે તે આદર અને લાગણીના નામ પર વહુએ દરરોજ કરવાં પડે છે. ના ગમે તેવાં કામ પણ ફરજ ખાતર કરવાં પડે છે.
‘તું બહુ ખોટી ટેવો ના પાડીશ, નહિ તો આ તો ગમે તેવી મોંઘી ચીજ માગશે ને તે બગડી જશે તો પછી તારો જીવ બળશે.’
ઈશાની જવાબ આપે છે : ‘એમાં જીવ શું બાળવાનો ? ચીજ તો મારાથીય બગડે. ચીજ વાપરવા માટે છે. હું વાપરું કે એ વાપરે.’ અર્ણવ તો ઈશાનીની સ્નેહાળ ઉદારતા જોઈને વિસ્મય પામી ગયો. એને તો હતું કે ઈશાની એના માબાપની એકની એક દીકરી છે, એ તો કેવીય સ્વકેન્દ્રી, અભિમાની, અતડી અને મિજાજી હશે. જ્યારે આની ઉદારતા તો ઘરના બધાં કરતાં ચડી જાય એવી છે. અર્ણવને ઈશાની માટે પ્રેમની સાથે સાથે આદર પણ થયો.
‘તમારે અમારા સાસુવહુના મામલામાં વચ્ચે નહોતું બોલવું જોઈતું. ધીરે ધીરે મમ્મી મને સમજી શકત.’
‘એવી રાહ ના જોવાય. તારો હાથ પકડીને હું તને આ ઘરમાં લાવ્યો છું અથવા તો મારો હાથ પકડીને કેટલી મહેચ્છાઓ અને વિશ્વાસ સાથે તું આ ઘરમાં આવી છે. તું આ ઘરનાને હેતથી સુખી કરવા મથી રહી છું ત્યારે તારી કદર કરવાના બદલે મમ્મી ઊંચા અવાજે સખતાઈથી વારંવાર કંઈ કહે તો વચ્ચે બોલવાની મારી જવાબદારી બને છે. તારા સુખદુઃખ અને માન-અપમાનની જવાબદારી મારી છે. તું ભાવનાશીલ છે, આદર્શવાદી છે તેથી વિવેકથી સાંભળી લે છે પણ ક્યાં સુધી આમ દબાતી રહીશ ? એક દિવસ તારી સહનાશીલતા ખૂટે, ધીરજ ના રહે ને વિસ્ફોટ થાય એ પહેલાં મમ્મીને ચેતવી દેવાની જરૂરત હતી અને એ મારે જ કરવું જોઈએ.’ સંયુક્ત કુટુંબની એકતા જાળવી રાખવી હોય તો દરેક સભ્યની દષ્ટિથી વિચાર કરવો જોઈએ, દરેકનું મન સચવાય, માન સચવાય તો જ મીઠાશ રહે. ઘરમાં કોઈનું શોષણ ના થવું જોઈએ. કોઈ ગૂંગળાવું ના જોઈએ. આજથી થોડા વરસો પહેલાં ચૂપ રહીને અન્યાય, દુઃખ સહન કરવાની સ્ત્રીની ફરજ મનાતી હતી. ખોટી રીતે ઠપકો મળે શોષણ થાય તોય ચૂપ રહેવામાં સ્ત્રીની શોભા ગણાતી. આપણા દેશમાં જ નહિ, પણ અન્ય દેશો જેવા કે રશિયા ઝેકોસ્લોવેકિયા જાપાન ઈરાન બધે જ મનાતું હતું કે ઘરની શાંતિનો બધો આધાર સ્ત્રી પર છે, માટે સ્ત્રીએ પોતે દુઃખ વેઠીને ઘરનાંને સુખી કરવા જોઈએ.
[ ‘કુર્યાત સદા મંગલમ’ પુસ્તકમાંથી સાભાર. આપ અવંતિકાબેનનો (અમદાવાદ) આ નંબર પર +91 79 26612505 પર સંપર્ક કરી શકો છો. સાભાર Http://www.Readgujarati.Com માંથી ]
Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 13 April 2014
લાઇફમાં એપ્લાય કરવા જેવું
વિષયની વિરુધ્ધમાં બોલનારા ગ્રુપે પોતાની દલીલો કરતા કહ્યુ , " તમારી પાસે નાણું હોય તો જ જીવી શકાય એવુ નથી. નરસિંહ મહેતા ક્યાં કરોડપતિ હતા અને છતાય સારી રીતે જીવ્યા અને આજે લોકો એને યાદ પણ કરે છે. જેની પાસે પુષ્કળ નાણું હોય એવા કેટલાય લોકો રાત્રે સુઇ પણ શકતા નથી. માટે નાણું નકામું છે. જરુર નાણાની નહી, સમજણની છે."
આ સમુહચર્ચાનું સમાપન પ્રવચન આપતા એક વિદ્વાન શિક્ષકે કહ્યુ , " બંને ગ્રુપના મિત્રોએ ખુબ સુંદર રજુઆતો કરી.બંને ગ્રુપ પોતપોતાની રીતે સાચા છે પણ એ અર્ધસત્ય છે. પૂર્ણ સત્ય એ છે કે આપણી આવક આપણા પગરખા જેવી છે. જો ટુંકી હોય તો ડંખ્યા કરે અને વધુ મોટી હોય તો ગડથોલીયું ખવડાવી દે. "
મિત્રો , ઓછી આવકથી ઘર ચલાવવામાં બહુ જ મુશ્કેલી પડે એ તો જેની ઓછી આવક હોય એને જ સમજાય માત્ર પ્રવચન કરનારાને એ ખબર ન પડે. અને વધુ આવક હોય તો અહંકારને કારણે ગડથોલીયુ ખાધા વગર ન રહે. માટે માપસરની આવક હોય તો સમતોલ જીવન જીવી શકાય.
[સાભાર facebook.com મારી નજરે]
Posted By: http://web-sarita.blogspot.com/
Saturday, 12 April 2014
જીવન જીવવાનો આધાર – સુભાષ ભોજાણી
Posted By: http://web-sarita.blogspot.com/ Saturday, 12 April 2014