‘પણ મમ્મી તો સવારથી રસોડમાં જ હોય છે.’ તન્વય દલીલ કરતો.
‘મેં મમ્મીને કહ્યું છે, હું રસોઇ કરીશ. મેં જવાબદારી લીધી પછીય તેઓ રસોડામાં જાય તો હું શું કરું ?’
‘પણ તું મોડે સુધી બહાર બેસી રહે તો એમનો જીવ કેમ ઝાલ્યો રહે ? સવારે તો રસોડું સંભાળવું જ જોઇએ !’
‘રસોડું નહી રસોઇ; અને હું ક્યારે એ શરૂ કરું, કેવી રીતે કરું એ મારી પર છોડી દેવાનું હોય, તમારે તો ખાવા સાથે જ મતલબ રાખવાનો હોય.’ શાસ્તા કહેતી.
શાસ્તાની વાત સાચી હતી પણ પોતાની મમ્મી વરસોથી જે કાર્યપદ્ધતિથી ટેવાઇ ગઇ હોય એ રીતે શાસ્તા અનુસરે એવો તન્વય આગ્રહ રાખે ને શાસ્તાને એ વાત સ્વીકાર્ય નહીં. એ એની રીતને જ વળગી રહે. આમ મતભેદ ની શરૂઆત પછી તો શાસ્તાના દરેક કામમાં સાસુને ખામી દેખાવા માંડી ને એમનો બડબડાટ શરૂ થઇ ગયો.
દાળ બરાબર ઊકળી નથી, કયાંથી ઊકળે ? નવ વાગે તો કૂકર મુકાય છે. રોટલી ચવડ છે. શાક સરખું સીજ્યું નથી. રાયતું હજી બનાવ્યું નથી ? કચુંબરમાં લીંબુ નિચોવ્યું ને ! મને ખબર જ હતી. મન વગરનાં કામમાં ભલીવાર જ શું હોય ?’ શાસ્તાની રસોઇ માં ખામી કાઢવાની જ એવો ઘરનો જાણે નિયમ થઇ પડ્યો હતો. શાસ્તા રસોઇમાં બેદરકાર ન હતી, પરંતુ એના પિયરના અને અહીંના ટેસ્ટ અલગ હતા, રીત અલગ હતી તેથી એ નિખાલસતાથી કહેતી, ‘અહીંની રીત હાથે ચડતાં થોડી વાર તો લાગે ને !’ ‘વાર શું, તને રસોઇમાં રસ જ નથી.’ તન્વય તાડૂક્યો. તન્વય શાસ્તાને સમજવા પ્રયત્ન કરતો જ નહીં. શાસ્તા ડઘાઇ જતી. જે તન્વયને હું સંસ્કારી સમજતી હતી એ આવા સૂરે બોલે ? મારું અપમાન કરે ? સાસુ – સસરા બોલે તો એ જૂની પેઢીનાં છે એમ સમજી ને ચલાવી લેવાય. પણ તન્વયથી તો આમ બોલાય જ કેવી રીતે ? એણે તો બેઉ પક્ષ વચ્ચે સમતોલન રાખવું જોઇએ. બેઉને સાચવવા જોઇએ.
ઓહો, એકસામટી આટલી બધી સૂચનાઓ ? ઘરમાંથી આવી સૂચનાઓ આ પહેલાં અપાઇ તો ગઇ જ છે, છતાં તન્વય શું કામ આવું બધું કહે છે ? એનાં મમ્મી પપ્પા ને ખુશ કરવા ? એ મારી પર હુકમ કરી શકે છે એવું બતાવવા ? તન્વય આટલો સામાન્ય છે ! શાસ્તા ખીજવાઇ ઊઠતી. એ તન્વયને કહેતી, ‘ તારા મોં એ આવું શોભતું નથી. નોકરનેય કોઇ વારંવાર સૂચના નથી આપતું અને આજે મારો આ પહેલો દિવસ નથી. તમારા ટેસ્ટ મુજબની ચા હું બનાવું છું એ તું જાણે છે.’
આવી થર્ડક્લાસ ભાષા ? શાસ્તા સ્તબ્ધ થઇ ગઇ. એના ઘરમાં કોઇ આવી રીતે બોલતું નહીં. સંસ્કારી વિસ્તારમાં એનું ઘર હતું તેથી આવી તોછડાઇવાળી ભાષા કદી સાંભળી ન હતી. તે કંઇ બોલી નહીં. આવા સવાલનો શો જવાબ આપવાનો ? હવે તન્વયના અવાજમાં વારંવાર પુરુષનો હુંકાર સંભળાવા માંડ્યો. જાણે એ શાસ્તાને સતત યાદ દેવડાવા માંગતો હોય કે આ ઘરમાં તન્વયની ઇચ્છા પ્રમાણે જ બધું થાશે. શાસ્તાએ એ કહે એમ જ કરવું પડશે.
તન્વયે શાસ્તાની વિરુદ્ધ થઇ ગયો. સંવેદનશીલ શાસ્તા માટે આ બધું અસહ્ય થઇ પડ્યું. આવું તો એણે કદી ધાર્યું જ ન હતું. એ વિચારે છે, ‘મારે આટલું બધું દબાતા રહેવાનું ? શું કામ ? શું કામ હું મારી જાતનું શોષણ થવા દઉં ? દામપત્ય જીવનનું આટલું બધું મૂલ્ય ચૂકવવાનું ?’
ત્યારે કૃતિ જરાયે દબાયા વગર નિશ્ચલતાથી કહેતી, ‘સંભળાયું, બરાબર સંભળાયું પણ હું જે સાંભળું એ પ્રમાણે કરવા બંધાયેલી નથી.’
‘એટલે, એટલે તું શું કહેવા માગે છે?’
‘હું કહેવા માગું છું કે તમે તમારી રીતે જીવો. હું મારી રીતે જીવવા ટેવાયેલી છું. એમાં કોઇ ખલેલ પહોંચાડે એ મને પસંદ નથી.’
ગાલ પર તમાચો પડ્યો હોય એમ તન્વય વળ ખાઇ જતો. ગુસ્સામાં એ કૃતિ તરફ ધસી જતો.કૃતિ ડોક ટટ્ટાર કરીને પહેલાં કરતાંય વધારે કડકાઇથી બોલતી. ‘દૂર ઊભા રહો. મને આવેશમાં ભાન ગુમાવી બેસનાર માણસ પસંદ નથી.’
તન્વય કહેતો, ‘ પણ આના કરતાં તો શાસ્તા સારી હતી. કેટલીય વાર એ ગમ ખાઇ જતી. કોઇ વાર નાહકનો હું ગુસ્સે થઇ જતો તો’યે એ મારું અપમાન નહોતી કરતી. વિવેક ભૂલતી નહીં. એ રડતી પણ રિસાતી નહીં કે મનમાં ડંખ રાખતી નહીં. એ મારો, આપણા બધાંનો વિચાર કરતી.’
‘હા, સુમેળ સાધવા તરફ એનું વલણ રહેતું. એ કદી મહેણાં મારતી નહીં કે કટાક્ષમાં બોલતી નહીં. ઘરની વાત બહાર કરતી નહીં.’
‘એ આપણી રીતે રહેવા પ્રયત્ન કરતી હતી. પાછળ થી તો એ કેટલી ઢીલી થઇ ગઇ હતી. પોતાની જીદ અને આગ્રહ સાવ છોડી દીધાં હતાં.’ તન્વયના પિતા બોલ્યા.
‘આપણે થોડુંક સમજ્યાં હોત તો એ જતી ના રહેત. આપણે થોડી છૂટ મૂકવા જેવી હતી.’
પણ એને સામેથી આવેલો જોઇને શાસ્તાએ વિવેકથી પૂછ્યું, ‘કેમ છો?’
’બસ તારી રાહ જોઉં છું.’ પોતાના માનસનો અહેવાલ તન્વયે આપી દીધો. પણ શાસ્તા કંઇ સમજી ના શકી. એને તો તન્વયના પરિવર્તનનો તાગ ન હતો તેથી પૂછ્યું, ‘એટલે ?’
‘હું તને તેડવા આવું ? તું આપણા ઘેર ચાલ. ‘તન્વયે મનમાં ઘૂંટાતી વાત પૂછી કાઢી.
‘હવે એ ઘર મારું ના કહેવાય.’ સંયતસૂરે શાસ્તા બોલી.
‘શાસ્તા, એ ઘર તારું જ છે. હું અને મમ્મી પપ્પા તારી રાહ જોઇએ છીએ. તું ચાલ.’
શાસ્તા ગંભીર અને ધીર પકૃતિની હતી. લાગણીમાં તણાયા વગર એ બોલી, ‘બીજી વાર કેમ એવું થયું ?’ તન્વયના બીજી વારના છૂટાછેડાની એને ખબર હતી.
‘તમને તમારી ભૂલનો અહેસાસ થયો એ બરાબર છે, પણ ફરીથી લગ્ન કરવાને સાથે રહેવા આટલું પૂરતું નથી.’ શાસ્તા એ કહ્યું.
‘તો તું બીજી કોઇ ગેરંટી માંગે છે, કઇ શરત કરવા ઇચ્છે છે ? હું બધા માટે તૈયાર છું.’
‘હું લગ્ન વિશે શું માનું છું એ તો તમે જાણો છો, પહેલી વારે મેં તમને કહ્યું હતું ને આજે પણ એ પ્રમાણે જ માનું છું , કદાચ પહેલાં કરતાં પણ વધારે દ્રઢતાથી, મારી માન્યતા અને આદર્શમાં જરાય ફરક નથી પડ્યો.’
‘તારાં એ માન્યતા અને આદર્શ હવે મારાં થઇ ગયાં છે કે લગ્ન એટલે સ્ત્રીની જિંદગીને પુરુષની જિંદગીના ચોકઠામાં ઢાળી દેવાની નહીં. લગ્ન એટલે હેતપ્રેમ અને સમજપૂર્વકનું સહજીવન. કોઇએ કોઇ પ્રકારનાં આગ્રહ કે અપેક્ષા નહીં રાખવાનાં. બેઉની રીત, માન્યતા, ટેવ, આચારવિચાર, આહાર વિહાર, અલગ અલગ હોઇ શકે.’ મૌખિક પરીક્ષામાં સવાલનો જવાબ આપતો હોય એમ તન્વય કડકડાટ બોલી ગયો.
‘હા, હા, કેમ નહીં ? તારી વાત તદ્દન સાચી છે. દંપતી એવી રીતે જીવે તો જ જીવનમાં વિકાસ સધાય. આવી રીતે જ જીવવું જોઇએ.’ ઉત્સાહ થી તન્વય બોલ્યો.
‘પણ તમે એવી રીતે જીવી શકશો ?’
’હા, હું એવી રીતે જીવવા આતુર છું. શાસ્તા, સો સો વાર હું તને વચન આપું છું. આપણે એ રીતે જ જીવીશું. આપણા વિચ્છેદના અનુભવે મને ઘણું શિખવાડ્યું છે. શાસ્તા, હું ફરી વખત ભૂલ કરવા નથી માગતો. તને મારી પર વિશ્વાસ નથી આવતો ?’
‘તન્વય, સાચું કહું તો હું ફરી લગ્ન કરવાનું વિચારતી જ નથી. એક વખતનાં એ અનુભવે મને એવી છિન્નભિન્ન કરે નાખી હતી, માંડ હું એ બધામાંથી બહાર આવી છું, હવે ફરીથી એ દિશામાં ડગ ભરવાનું સાહસ ના કરી શકાય.’
‘આપણે છૂટાં પડ્યાં ત્યારે તું કેટલી વેદનાગ્રસ્ત હતી એ વખતનો તારો મૂરઝાયેલો ચહેરો હજીય મને બરાબર યાદ છે, એ યાદ આવે છે ને અંદરથી હું કોરાઉ છું. શાસ્તા, તું મને સતત યાદ આવતી હતી, તને હું યાદ નહોતો આવતો ? લાગણીસભર કંઠે તન્વયે પૂછ્યું.
‘તો તું મને મળવા કેમ ના આવી ? મને એક વાર કહેવડાવ્યું હોત તો ?’ તન્વય સરળતાથી બોલતો હતો. શાસ્તા એને પોતાની લાગતી હતી.
જવાબમાં શાસ્તા માત્ર હસી.
તન્વયે આગ્રહપૂર્વક પૂછ્યું, ‘આપણે ફરીથી ક્યારે મળીશું ?’
શાસ્તા મૌન જ રહે છે. તન્વય આજીજીપૂર્વક કહે જાય છે. ‘શાસ્તા, પ્લીઝ, તું પોઝીટીવ વિચાર કર. તું મળવાનું નક્કી કર. આપણે ફરી મળીશું નહીં તો મનમાં ઊઠતી શંકાઓનું નિરાકરણ કેવી રીતે આવશે ? આપણે એક કેવી રીતે થઇશું ?’
શાસ્તાને વિચારમગ્ન જોઇને તન્વય ફરીથી બોલે છે, ‘તારા મનમાં હજીય શું શંકા છે ?’
‘તન્વય હવે જીવન વિશેની મારી સમજ ધરમૂળથી બદલાઇ ગઇ છે. પહેલાં હું સુખી જીવન માટે લગ્ન અનિવાર્ય, આવશ્યક માનતી હતી. સંસાર, પોતાનો સંસાર રચાય તો જ પરમ સુખ મળે એવાં સંસ્કાર મને ગળથૂથીમાં મળ્યાં હતા. પણ અનુભવે સમજાય છે કે સુખ અનેક પ્રકારનાં હોય છે, સુખી થવાના અનેક માર્ગો છે, ક્યા માર્ગે સુખી થવાય એ માણસે પોતે, જાતે નક્કી કરવું જોઇએ. અને મને અનુભવે સમજાયું છે કે હું લગ્ન માટે નથી સર્જાઇ. મને મારી રીતે જીવતાં આવડી ગયું છે. લગ્નના નામે હું કંઇ છોડવા નથી ઇચ્છતી. ખંડિત થવા નથી માંગતી.’
‘તો શું જોઇએ છે ?’
’સંગ, તારો સંગ. તું આપી શકે એટલો જ સાથ. શાસ્તા, હું તને એટલું જ કહેવા માગું છું કે હું તને પ્રેમ કરું છું. હું તારી રાહ જોઉં છું ને ચિરકાળ જોયા કરીશ.’ આટલું કહીને તન્વય ગયો.
શાસ્તાનાં મનમાં ઊથલપાથલ મચી. શું કરું ? હું શું કરું ? એનાં મમ્મી – પપ્પાને પૂછ્યું. મમ્મી બોલી, ‘તું આટલી બધી ડિસ્ટર્બ થઇ ગઇ છે એ પરથી તને નથી સમજાતું કે તુંયે તન્વયને ઝંખે છે ?’
‘પણ ફરીથી એવું જ બને તો ?’
‘પણ, પણ શું ? શાસ્તા, તું મનમાં જરાય સંદેહ ના રાખ. તારા જીવનમાં મંગળ ઘટના ઘટે છે, એને રોકવા નકામા ફાંફાં ના માર. ફૂલ ખીલે છે, એમ જ જીવનમાં પ્રેમ પાંગરે છે, એને પાંદરવા દે. તું ભાગ્યશાળી છે દીકરી, અંતે તન્વય તને સમજી શક્યો છે. અને માનભેર, પ્રેમથી એ તને બોલાવે છે. હવે તું સમય ના બગાડ.’
Posted By: http://web-sarita.blogspot.com/ Sunday, 24 August 2014